Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજપીપળા આરબ ટેકરાની નંદુરબાર પરણાવેલી પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓ ત્રાસ આપતા 8 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના આરબ ટેકરા ખાતે રહેતી અને નંદુરબાર (મહારાષ્ટ્ર) પરણાવેલી પરણીતાને દહેજ માટે ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ દાખલ થતાં પોલીસે 8 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા આરબ ટેકરા ખાતે રહેતી અસ્માબેન ઈમરાનઅલી સૈયદ (૨૫) ને લગ્ન જીવન ના પાંચેક વર્ષ દરમિયાન પતિ -ઈમરાનઅલી સાકીર અલી સૈયદ એ મારામારી કરી દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપી તથા બાકીના સાસરિયાઓ પૈકી સાકીર અલી હુશેનઅલી સૈયદ,સાબેરા સાકીરઅલી સૈયદ,શમીના સૈયદ સાકીરઅલી આસિફ સૈયદ, આસિફ નાજીરા આસિફ સૈયદ,આસિફ સુમૈયા બદરી,સૈયદ આસિફ તમામ રહે. ફિરદોષ કોલોની તલોદા (મહારાષ્ટ) નંદુરબાર નાઓએ સાથે મળી મેણા ટોણાં મારી ધાક ધમકી આપી માનસિક શારીરીક ત્રાસ આપી હોય એ બાબતે તમામ સાસરિયાઓ વિરુદ્ધ આસ્મા બેન એ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:16 pm IST)