Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સુરત:પત્ની સાથે વાત કર્યા બાદ પતિએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

સુરત: આપઘાતના ત્રણ બનાવમાં કતારગામમાં પત્ની સાથે ફોન પર વાતચિત કર્યા બાદ યુવાને, સચીનમાં કપડા ધોવાના મુદે રકઝકમાં નવ પરિણિતાએ અને પાંડેસરામાં માનસિક બિમારીમાં યુવાને આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં ફુલપાડા ખાતે અંબિકા સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષીય મહાદેબ બાસુદેવ મંડલે બુધવારે બપોરે ઘરે પંખા સાથે કપડાનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેના પરિચિતે કહ્યુ કે મહાદેબ મુળ પશ્વિમ બંગાળના કોલકાતાનો વતની હતો. તેણે પત્ની સાથે ફોન પર  વાતચિત કર્યા બાદ કોઇ કારણસર આ પગલુ ભર્યુ હતુ. તેને એક સંતાન છે. તે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતો હતો.  બીજા બનાવમાં સચીનમાં શીવનગરમાં રહેતી ૧૮ વર્ષીય ખુશ્બુકુમારી અખિલેશ ઝા એ આજે સવારે ઘરમાં પતરાના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લેતા મોત થયુ હતુ. પોલીસે કહ્યુ કે ખુશ્બુકુમારી મુળ બિહારના સિતામણીની વતની હતી. કપડા ધોવાના મુદ્દે પરિવારના સભ્ય સાથે રકઝક  થતા તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે.  તેના પાંચ માસ પહેલા લગ્ન થયા હતા. તેના પતિ મજુરી કામ કરે છે. ત્રીજા બનાવમાં પાંડેસરામાં ગોપાલનગરમાં રહેતા ૪૨ વર્ષીય આશિષ પોપટ પટેલે બુધવારે રાતે ઘરમાં છતના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે મુળ મહેસાણાના ઉંઝાનો વતની હતો. તેણે માનસિક બિમારીમાં પગલુ ભર્યુ હોવાની શક્યતા છે.  તે લુમ્સખાતામાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. 

(5:57 pm IST)