Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મહિલા ડોક્ટરના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી તસ્કરો છૂમંતર.....

વડોદરા: વાઘોડિયારોડ પર રહેતા મહિલા ડોક્ટરના ઘરમાંથી ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ રૃપિયા ૧.૬૭ લાખની મત્તા ચોરી ગઇ હતી.

વાઘોડિયારોડ પર મહેશ કોમ્પલેક્સની પાછળ ભક્તિનગર સોસાયટીમાં રહેતા  સુષ્માબેન જગદીશભાઇ રાઠોડ મૂળ સુરતના અમરોલી વિસ્તારની હરિઓમ નગર સોસાયટીમાં  રહે છે.તેઓ વડોદરામાં પિતા સાથે  રહે છે.અને પાણીગેટ આયુર્વેદિક મહા વિદ્યાલયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે.ગત તા.૨૬ મી એ ડો.સુષ્માબેન રાજપીપળાના માંગરોળ ખાતે નર્મદા પરિક્રમા કરવા માટે તેઓ ગયા હતા.અને ત્યાંથી પરિક્રમા પૂર્ણ કરી તેઓ તા.૨૭ મી એ બપોરે બે વાગ્યે ઘરે પરત આવ્યા હતા.રાતે સાડા દશ વાગ્યે તેઓ મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી ઊંઘી ગયા હતા.ગરમી હોય તેમણે રસોડાની જાળી બંધ કરીને તેમજ લાકડાનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો.તે દરમિયાન ચોર ટોળકી ઘરમાંથી સોનાના ૩ તોલા ઉપરાંતના દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડા રૃપિયા ૨,૫૦૦  ચોરી ગયા હતા.જે અંગે ડોક્ટરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:00 pm IST)