Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

અમદાવાદીઓને ગરમીમા રાહત આપતો નિર્ણય :બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા વિચારણા

કાળઝાળ ગરમીમા જેનાથી વાહન ચાલકોને આંશિક રાહત મળશે

અમદાવાદ :  અમદાવાદીઓ માટે ગરમીમા રાહત આપતો નિર્ણેય શહેર પોલીસ લેવા જઈ રહી છે. જે નિર્ણય છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો. કાળઝાળ ગરમીમા જેનાથી વાહન ચાલકોને આંશિક રાહત મળશે. અને હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામાથી પણ મુક્તિ મળશે. શહેર પોલીસનો શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણેય લેવામા આવશે.

 

(8:25 pm IST)