Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

વિરમગામના વનથળ ગાદીપતિ પૂ. દિનબંધુલાલજી મહારાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન, સોમવારે ટેલીફોનીક શ્રદ્ધાંજલી

ભક્તોને આનંદ આશ્રમ વનથળ ખાતે રૂબરૂ ન આવવા માટે અપીલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ વનથળ નિવાસી ધર્મસેવાલંકાર બા.બ્ર. શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજની પાવન ચેતના અને તેમના શતાબ્દી મહોત્સવના બહુજ ટૂંકા ગાળામાં સનાતન ધામ આનંદ આશ્રમના વિદ્યમાન ગાદીપતિ તેમજ પૂજ્ય પુરુષોત્તમ લાલજી મહારાજના પ્રેરણાશીર્ષ પ.પૂ.મહંત દિનબંધુલાલજીને છેલ્લા ત્રીસેક દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતાં અને શુક્રવારની સાંજે તેઓનું નિધન થયું હતું. વનથળ ખાતે શનિવારે કોવિડની સરકારી ગાઇડ પ્રમાણે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી હતી અને બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન થતો હતો. દિનબંધુલાલજી મહારાજના નિધનથી પરીવારજનો, ભક્તો સહીત સમગ્ર પંથકના લોકો શોકાતુર બન્યા છે. સોમવારે બાપુને ટેલીફોનીક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

પ.પૂ. મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજે જણાવ્યું હતું કે,  શ્રી ગુરૂગાદી આનંદ આશ્રમ સનાતનધામ વનથળના ભક્તવત્સલ વિશ્વવંદનીય પૂજ્ય સનાતનધર્મવાહક મહંત શ્રી દિનબંધુલાલજી મહારાજ અમારા ગુરૂશ્રી તા . ૪-૬-૨૦૨૧ને શુક્રવાર , વૈશાખ વદ દશમના રોજ બ્રહ્મલીન થયેલ છે. સદગતને ટેલીફોનીક  - શ્રધ્ધાજંલી તા. ૭-૬-૨૦૨૧ને સોમવાર, વૈશાખ વદ બારશના રોજ સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ ક્લાકે સેવાશ્રમ સંકુલ, આનંદ આશ્રમ, વનથળ, તા. વિરમગામ, જી. અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. ડો. મનુભાઈ ગીરજાશંકર મહેતા મો.નં. ૯૩૨૮૧ ૫૩૮૯૮ તથા મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજ  મો.નં. ૭૦૧૬૧૧૫૨૮૭ને ફોન કરીને શ્રદ્ધાંજલી પાઠવી શકાશે. ભક્તોને આનંદ આશ્રમ વનથળ ખાતે રૂબરૂ ન આવવા માટે અપીલ કરવામાં આવે છે અને સરકારશ્રીની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે.

(10:38 am IST)