Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

કેવડિયા સરદાર સરોવર નર્મદા નિગમના જમીન સર્વેના સરકારી કામમા અડચણ કરતા ટોળા સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના સરકારી કામમા અડચણ ઉભી કરતા ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે.
 પ્રાપ્ત માહિતી મુજબ સરદાર સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નંબર ૪૪૯ માં સર્વેની કામગીરી ચાલુ હતી તે દરમિયાન રેવજીભાઈ ઉક્કડભાઈ તડવી, પ્રવિણભાઈ રેવજીભાઈ તડવી તથા અંજનાબેન સુરેશભાઈ તડવીની આગેવાનીમાં ૧૫થી ૨૦ જેટલા સ્ત્રી પુરુષો નું ટોળું ભેગા મળી નિગમની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગેરવર્તન કરી અંજનાબેન તડવી તથા બીજા એક આધેડ ઉંમરના બહેન અર્ધનગ્ન થઈ સરકારી કામમાં અડચણ પેદા કરી ગુનો કરતા યોગેશભાઈ રાજેન્દ્ર ભાઈ ચૌધરીની ફરિયાદને આધારે ૧૫ થી ૨૦ જેટલા લોકોના ટોળા વિરુદ્ધ કેવડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)