Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમદાવાદમાં HTAT આચાર્યોનું વિરોધ પ્રદર્શન :પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી

આચાર્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં HTAT આચાર્યોએ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકાર સામે વિરોધ કર્યો છે. ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આચાર્યોએ વિરોધ દર્શાવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં સ્કૂલોના આચાર્યો આ રેલીમાં જોડાયાં છે. આચાર્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  HTAT કેડર 2012થી અમલી બનાવાઇ છે પરંતુ તેમ છતાં આ કેડરમાં કામ કરનારા મુખ્ય શિક્ષકોના પ્રમોશન કે બઢતી માટેના કોઇ નિયમો નથી બનાવવામાં આવ્યાં. જેથી નિયમો ન ઘડાવાના કારણે 25 હજાર શિક્ષકોની હાલત કફોડી છે. જેથી આ માટે જરૂરી નિયમો બનાવવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે.

(12:49 pm IST)