Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બેરોજગારીએ વધુ એક જીવ લીધોઃ એન્જિનિયર યુવકે નોકરી ન મળતાં આત્મહત્યા કરી

અમદાવાદઃ ગુજરાતમાં મહામારી અને બેરોજગારીનો બેવડો માર યુવકોને વધુને વધુ કમજોર બનાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અર્થોપાર્જનની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે.

બેરોજગારીએ એક યુવકના જીવનનો ભોગ લીધો છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી કંટાળી યુવકે આપદ્યાત કર્યો છે. ચિરાગ વાદ્યેલા નામના એન્જિનિયર આપદ્યાત કર્યો છે. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ નોકરી ન મળતા હતાશ હતો. હતાશામાં ચિરાગે આપઘાતનું અંતિમ પગલું ભર્યું છે.

(2:59 pm IST)