Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 1321 દર્દીઓ સાજા થયા : નવા 1035 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1,78,633 થયો : કુલ 1,62,846 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 4 લોકોના મોત : મૃત્યુઆંક 3751 થયો

છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 210 કેસ,અમદાવાદમાં 175 કેસ, વડોદરામાં 114 કેસ, રાજકોટમાં 109 કેસ, મહેસાણામાં 48 કેસ, પાટણ અને જામનગરમાં 38-38 કેસ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 35 -35 કેસ અને નર્મદામાં 21 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,036 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો જાય છે છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થાઈ છે આજે રાજ્યમાં  કોરોનાંથી વધુ 1321 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં  1035 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ  4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3751 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,036 એક્ટિવ કેસ છે, જ્યારે 1,62,846 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 11,967 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,78,633 પર પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, અને ભરૂચમાં 1 મળીને કુલ 4 લોકોના મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા  1035 કેસમાં સૌથી વધુ સુરતમાં 210 કેસ,અમદાવાદમાં 175 કેસ, વડોદરામાં 114 કેસ, રાજકોટમાં 109 કેસ,મહેસાણામાં 48 કેસ,પાટણ અને જામનગરમાં 38-38 કેસ,બનાસકાંઠા અને ગાંધીનગરમાં 35 -35 કેસ અને નર્મદામાં 21 કેસ નોંધાયા છે

(7:12 pm IST)