Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજપીપળા દરબાર રોડ સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરની જર્જરિત ચાલ સ્થાનિકો માટે જોખમી

હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક આવતા કેટલાક મંદિરોની સત્વરે મરામત જરૂરી નહિ તો ક્યારેક કોઈનો ભોગ લેવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં નાંદોદ માલતદાર હસ્તક હિન્દૂ દેવસ્થાન કમિટીમાં આવતા કેટલાક વર્ષો જુના મંદિરો જર્જરિત હાલતમાં હોય જેમાં દરબાર રોડ સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરની ચાલી અત્યંત જર્જરિત હાલતમાં હોય વારંવાર ઉપરથી જૂનો કાટમાલ પડતા ત્યાં વસવાટ કરતા લોકોના જીવ તાળવે ચોંટી જાય છે.આ જગ્યાએ ઘણા પરિવારો રહેતા હોય તેમના માથે જાણે મોત મંડરાતું જોવા મળે છે માટે તંત્ર સત્વરે આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કામગીરી કરે નહિ તો ભવિષ્યમાં કોઈનો ભોગ લેવાઈ શકે છે.

(8:35 pm IST)