Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કોંગ્રેસ અને કનૈયા કુમારે એક્ઝિટ પોલ ફગાવી દીધા: જયરામ રમેશે કહ્યું કે અમે જાણીયે છીએ કે આ પોલ કોણ કરાવે છે, કોના પ્રભાવમાં અને કેમ કરાવવામાં આવે છે

તમામ એક્ઝિટ પોલ્સે ગુજરાતમાં ભાજપની સતત સાતમી વખત સરકાર બનાવવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. પાર્ટીને ૧૧૭ થી ૧૫૧ બેઠક મળી શકે છે. કોંગ્રેસ માટે ૧૬-૫૧ બેઠકનું અને આમ આદમી પાર્ટી માટે ૨ થી ૧૩ બેઠક સુધી જીતવાનું અનુમાન થયું છે. કન્હૈયા કુમારે કહ્યુ કેમે એવો દાવો નથી કર્યો કે ભાજપ ગુજરાતમાં બહુમતથી નહી જીતે અને ના તો મે કહ્યુ છે કે કોંગ્રેસ સત્તામાં વાપસી કરશે. અમે જોયુ છે કે અમારી લોકતાંત્રિક સંસ્થાઓને અક્ષમ કરવામાં આવી રહી છે.

(10:52 pm IST)