Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વીજ કંપનીની લાલીયાવાડીમાં મુંગા પશુનો ભોગ લેવાયો

નાંદોદ તાલુકના કરાઠા ગામની સિમમાં વીજ કરંટ લાગતા 1 ભેંસનું મોત:2 ભેંસનો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામમાં વીજ કરંટ લાગતા એક ભેંસનું મોત થયું છે જ્યારે અન્ય 2 ભેંસોનો આબાદ બચાવ થયો હતો.

   પ્રાપ્ત માહિતી અનુસાર કરાઠા ગામના પ્રવિણસિંહ રવિસિંહ ચાવડાની ફરિયાદ અનુસાર તેઓ આજરોજ 3 ભેંસો લઈ કરાઠા ગામની સીમમાં ચારવા જતા હતા તે સમયે કેનાલ પાસે વીજ કંપનીનો એક જીવંત વાયર તૂટેલી હાલતમાં નીચે પડ્યો હોય તે તેમની એક ભેંસને અડી જતા ભેંસનું મોત થયું હતું જ્યારે અન્ય 2 ભેંસોનો આબાદ બચાવ થયો છે.

  વીજ કંપનીની આવી ગંભીર બેદરકારીના કારણે એક મૂંગા પશુએ જીવ ગુમાવતા કરાઠાના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.રાજપીપળા પોલીસે આ માટે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે

(10:03 pm IST)