Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં એટીએમમાં અજાણ્યા શખ્સે 6 વાર 5.86 લાખ ઉપાડી વિશ્વાસઘાત કરતા ગુનો દાખલ

હિંમતનગર: શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલી પંજાબ એન્ડ સીંધ બેંકના એટીએમમાંથી મંગળવારે અજાણ્યા શખ્સે છ વખત અંદાજે રૃા.૫.૮૬ લાખનો ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

પંજાબ એન્ડ સીંધ બેંકના ન્યાયમંદિર શાખાના મેનેજર કુમાર પ્રભાકરસિંહ ક્રિષ્ણચંદ્રસિંહ સિંગએ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે બેંકના એટીએમમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને એટીએમ કાર્ડની મદદથી રૂપીયાનો ઉપાડ કર્યો હતો.

જેમાં આ અજાણ્યા શખ્સોએ વિવિધ છ એટીએમ કાર્ડ ખાતામાંથી ડેબીટ થયા વગર ઉપાડ કરીને અંદાજે રૃા.૫.૮૬.૫૦૦ નો ઉપાડ કરી દીધો હતો. અને તે અંગે તરત જ ડેબીટ ન થવાને કારણે બેંકને જાણ થઈ ન હતી.

તેમ છતા બેંકના મેનેજર કુમાર પ્રભાકરસિંહએ સીસીટીવી પુટેઝને આધારે અભ્યાસ કર્યા બાદ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાની ફરીયાદ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.

(5:05 pm IST)