Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

અમદાવાદના સાબરમતીમાં જવેલર્સની દુકાનનું તાળું તોડી અંદરથી ગઠિયો 44 લાખના સોનાના દાગીના ઉઠાવી છૂમંતર.....

અમદાવાદ: શહેરના સાબરમતીમાં જ્વેલર્સની દુકાનનું તાળુ ખોલી અંદરથી કોઈ ગઠિયો રૃ.૪૪,૬૪,૯૫૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયો હતો. ઘરે જમવા ગયેલા જ્વેલર્સના સ્કુટરની ડેકીમાંથી દુકાનની ચાવીની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દુકાનના સીસીટીવી કેમેરામાં આરોપી માસ્ક પહેરેલો કેદ થઈ ગયો હતો જેને આધારે સાબરમતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં પાવન પાર્ટી પ્લોટ પાસે હરીપાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર કે.શાહ(૫૧) ન્યુ રાણીપમાં માણકી સર્કલ પાસે આકાશ રેસીડેન્સીમાં પાયલ જ્વેલર્સ નામની દાગીનાની દુકાન ધરાવે છે. ૫ જાન્યુઆરીના રોજ સવારે જીતેન્દ્રકુમાર દુકાને આવ્યા હતા અને બપોરે દુકાન બંધ કરી ચાવીઓ તથા બેન્કની સ્લીપ બુક લઈને બેન્કમાં ગયા હતા. બેન્કનું કામ પતાવી તેમના ભાઈ જયેશકુમારની જ્વેલર્સની દુકાને ચાંદીના કંદોરા આપી અને સોનાની કડી લઈને નારણપુરાના ઘરે જમવા ગયા હતા. તેમણે સીસીટીવી ચેક કરતા મોઢા પર માસ્ક પહેરેલો તથા જીન્સ અને ટી શર્ટ પહેરેલા શખ્સે દુકાનની રેકી કરી સ્કુટરમાંથી દુકાનની ચાવીની ચોરી કરીને દાગીનાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેમમે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:08 pm IST)