Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગોપાલપુરા ગામમાં તોફાની કપિરાજના આંતક બાદ વન વિભાગે પાંજરું મુકતાં ગ્રામજનોને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં ત્રણ દિવસથી કપિરાજ નો આતંક ફેલાતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા હતા અને ગામના કેટલાક ઘરોમાં કાચ તોડી તોફાન કરતા કે ધાભા ઉપર ધમાચકડી કરતા કપિરાજથી ખાસ બાળકો અને મહિલાઓમાં ભય જોવા મળ્યો હોય એ બાબતે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા કપિરાજોને કેદ કરવા પાંજરું મુકાતા ગ્રામજનોએ રાહત મેળવી છે. હવે તોફાની કપિરાજ ક્યારે આ પાંજરે કેદ થાય છે એ જોવું રહ્યું.જોકે અગાઉ ધમાલ મચાવ્યા બાદ વન વિભાગના પાંજરે કેદ કરાયેલા કપિરાજ ને મોવી તરફ છોડી મુકાયો હતો ત્યારે ફરી એવીજ ઘટના સામે આવતા આ વખતે  વધુ દૂર જંગલ વિસ્તારમાં આ કપિરાજ ને છોડાય તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

(12:54 am IST)