Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી મોહનભાઇ ગામીતનો કોરોનાએ ભોગ લીધો

બારડોલી ખાતે સારવાર દરમ્યાન કોરોનાથી મોત થયુ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને એક પછી એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતાનુ કોરોનાથી મૃત્યુ થયુ છે. 

ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું નિધન થયુ છે. બારડોલી ખાતે સારવાર દરમ્યાન કોરોનાથી મોત થયુ છે. ઉચ્છલ તાલુકા મહામંત્રી મોહનભાઇ ગામીતનુ નિધન થયુ છે.

(5:30 pm IST)