Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બે સંતાનના પિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા બે સંતાનોના પિતા વિજયભાઈ શાંતિલાલ રાઠવાએ ઝેર પીઈને આત્મહત્યા કરી છે. ઘટના અંગે જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા કરતા પહેલા વિજયભાઈએ એક વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે જણાવ્યું કે હું જ્યારે કાઠિયાવાડમાં મજૂરી કામ કરતો હતો ત્યારે મારી પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવા આવી ગઈ હતી. દોઢ મહિનો થયો હોવા છતાં સાસરીમાં આવતા હું તેને તેડવા ગયો હતો ત્યારે પત્નીને તો મારી સાથે મોકલી નહીં અને ઉપરથી સસરાએ મને માર માર્યો હતો.

મારી સાથે દગો થયો છે એટલે હું આત્મહત્યા કરું છું. જેનું મુખ્ય કારણ મારી પત્ની છે, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મૃતકના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(5:45 pm IST)