Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભાજપ સરકારે છેલ્લા ૨ વર્ષમાં માત્ર ૧૨૭૮ યુવાનોને સરકારી નોકરી આપી છે : ઈસુદાન ગઢવી

ભાજપના લીધે ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ ઊંચો ચડ્‍યો : ભાજપના શાસનમાં ૪ લાખથી એ વધુ શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો : જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો બેરોજગારીથી લઈને સંપૂર્ણ સમસ્‍યાઓનું નિવારણ અને બદલાવ નિヘતિ છે : આ વર્ષે તલાટીની અરજી માટે અત્‍યાર સુધીનો રેકોર્ડ તૂટ્‍યો : તલાટીની ૩૪૦૦ જગ્‍યા માટે ૧૭ લાખ ઉમેદવારોએ અરજી મૂકી છે : ભાજપના રાજમાં બેરોજગારીની સમસ્‍યાઓ સુધરવાને બદલે વધારે ખરાબ થઈ ગઈ છે : પાછલા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ આજ સુધી રોજગાર બાબતે કોઈ જ સકારાત્‍મક બદલાવ જોવામાં આવ્‍યો નથી : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતાનો આક્રોશ

રાજકોટ તા. ૮ : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી એ ગુજરાતમાં દિવસે-દિવસે વધી રહેલી બેરોજગારીના મુદ્દા પર પોતાની ટિપ્‍પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ ઊંચો જ જતો જાય છે. પાછલા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ આજ સુધી રોજગાર બાબતે કોઈ જ સકારાત્‍મક બદલાવ જોવામાં આવ્‍યો નથી. ભાજપના રાજમાં બેરોજગારીની સમસ્‍યાઓ સુધરવાને બદલે વધારે ખરાબ થઈ ગઈ છે.
શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્‍યામાં પાછલા ૨૭ વર્ષથી સતત વધારો જ થઇ રહ્યો છે. ચૂંટણી વખતે ભાજપ સરકાર બસ વાયદા જ કરે છે પણ જયારે જનતા માટે કઈ કરવાનો સમય આવે ત્‍યારે તે ગાયબ થઈ જાય છે. આ ભ્રષ્ટાચારી અને મતલબી ભાજપ સરકારને, ના તો પહેલા યુવાનોના ભવિષ્‍યની ચિંતા હતી કે ના આજે છે. ગુજરાતના યુવા ભાજપા શાસનમાં ગુજરાતમાં પોતાનું ભવિષ્‍ય સલામત નથી સમજતા.
જુલાઈ મહિનામાં યોજનારી તલાટીની પરીક્ષા વિશે જણાવતા ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, દરેક યુવાનને પોતાના રાજયમાં સરકારી નોકરી લેવાનું સપનું હોય છે પરંતુ ગુજરાતમાં ભાજપના લીધે દર વર્ષે લાખો યુવાનો ના સપના તૂટી જાય છે. આ વર્ષે તલાટીની અરજી માટે અત્‍યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બન્‍યો છે. તલાટીની ૩૪૦૦ જગ્‍યા માટે ૧૭ લાખ ઉમેદવારો એ અરજી મૂકી છે. જે ગુજરાતની બેકારીનું સ્‍પષ્ટ ચિત્રણ છે. ભાજપ સરકાર પહેલા પણ બેરોજગારી ના મુદ્દા પર હાથ ઉપર કરીને બેસી રહી હતી અને આજે પણ ગુજરાતમાં એજ સ્‍થિતિ છે.
આજદિન સુધી ગુજરાતમાં બેરોજગારીની એવી દશા છે કે તલાટી કમ મંત્રીની નોકરી મેળવવા માટે લાખો યુવાનો તૈયાર થયા છે. ગ્રેજયુએટ, ડબલ-ગ્રેજયુએટ જ નહિ ડિપ્‍લોમા-ડિગ્રીધારી યુવાનો એ પણ તલાટી માટે અરજી કરી છે. આ ફક્‍ત બેરોજગારી નથી શિક્ષિત બેરોજગારી છે. જે દેશના ભવિષ્‍ય માટે વધારે ખતરનાક છે. જનતા સરકાર પાસે આશા નહિ રાખે તો કોની પાસે રાખશે ? પણ ભાજપ સરકાર તે વાત સમજવા તૈયાર નથી. ભાજપને તો માત્ર ગુંડાગીરીને ભ્રષ્ટાચાર જ આવડે. દેશનું ભવિષ્‍ય ઘડવા વાળા યુવાનોનું ભવિષ્‍ય કેટલું પાણી માં છે તેનાથી ભાજપ સરકારને કંઈ જ લેવા દેવા નથી. ભાજપને માત્ર ચૂંટણી જીતવા થી જ ફરક પડે છે.
અરજદારોની સંખ્‍યાના કારણે તલાટીની પરીક્ષા પાછી ઠેલવાઈ તેની પૂર્ણ સંભાવના છે. પણ તેમના રાજયમાં શું ચાલી રહ્યું છે તેનાથી ભાજપને કોઈ ફરક પડતો નથી. ખુદ સરકારે ગુજરાત વિધાનસભામાં એ વાત સ્‍વીકારી છે કે છેલ્લા ૨ વર્ષમાં ફક્‍ત ૧૨૭૮ યુવાઓ એ સરકારી નોકરી મેળવી છે અને આજની તારીખમાં ગુજરાતમાં ૩,૪૬,૪૩૬ શિક્ષિત અને ૧૭,૮૧૬ અર્ધ શિક્ષિત બેરોજગારો છે.
ઈસુદાન ગઢવીએ આગળ ગુજરાતની જનતાને વિનંતી કરતા કહ્યું કે, ગુજરાતની જાણતા એક વાર નિヘય કરી લે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ચૂંટીને ભાજપ સરકારને સબક શીખવાડી તે ગુજરાતનું ભવિષ્‍ય બચાવી શકે છે. આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્‍ત અને ઈમાનદારોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી માં ભણેલા-ગણેલા શિક્ષિત લોકો છે એટલે અમને શિક્ષાનું મહત્‍વ ખબર છે. આમ આદમી પાર્ટી એ જનતા માટે કરેલા કામનું પ્રમાણ આખો દેશ દિલ્‍હીમાં જોઈ જ શકે છે. એટલે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો બેરોજગારીથી લઈને સંપૂર્ણ સમસ્‍યાઓનું નિવારણ અને બદલાવ નિヘતિ છે.

 

(1:16 pm IST)