Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

૪૦ ગધેડાઓને તેના માલીકને સોંપવાની અરજી કોર્ટે ફગાવી

ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતા

પાલનપુર, તા.૮: ડીસા પોલીસ એ જીવદયા સંસ્થાની એક કાર્યવાહીમાં શહેર નજીક ટ્રકમાં ભરીને કતલખાને લઇ જવાતા ૪૦ ગધેડાઓને મુકત કરાવી પાંજરાપોળ મોકલી આપેલ. આ ગધેડાઓના કથીત માલીકે કોર્ટમાં ગધેડાઓને પોતાને સોંપી દેવા દાદ માંગેલ. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી માલીકની અરજી ખારીજ કરતા ગધેડાઓને પાંજરાપોળમાં જ રાખવા જણાવેલ. આ મામલામાં ૧૩ જુલાઇના રોજ એક ટ્રકમાંથી ગધેડાઓને કતલખાને જતા બચાવાયેલ. પાંજરાપોળ તરફથી વકીલ ગંગારામભાઇ પોપટની દલીલો કોર્ટે માન્ય રાખી નિર્ણય સંભળાવેલ.

(3:14 pm IST)