Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

"આપણા ક્રાંતિકારીઓ" વિષય પર વિરમગામના જેતાપુર ખાતે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી

નિબંધ સ્પર્ધમાં ધોરણ 6, 7, 8 ના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જીગરભાઈ ઈમાનદાર, ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર, જિલ્લા સંયોજક ગૌરાંગભાઈ ખત્રીના માર્ગદર્શન હેઠળ આઝાદીના 75 વર્ષ ઉજવણી અંતર્ગત "આપણા ક્રાંતિકારીઓ" વિષય પર જેતાપુર ખાતે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ સ્પર્ધમાં ધોરણ 6,7,8 ના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ નિબંધ સ્પર્ધમાં શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ અને શિક્ષક હર્ષદભાઈ કોળી પટેલ, મેજીક બસ સંયોજક આનંદભાઈ, શાળાના શિક્ષકો, ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિરમગામ સંયોજક રસિકભાઈ અને સહ સંયોજક શૈલેષ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

(6:22 pm IST)