Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રાજપીપળા મચ્છીમાર્કેટમાં સરપંચ પરિષદ ગુજરાતના પ્રમુખ પર છરા,લાકડીઓ વડે હુમલો કરનાર 3 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુવરપુરા ગામમાં રહેતા સરપંચ પરિષદ ગુજરાતના પ્રમુખ પર નજીવી બાબતે હુમલો કરી ઇજા કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સરપંચ પરિષદ ગુજરાતના પ્રમુખ નિરંજન ભાઈ નગીનભાઈ વસાવા ( રહે.કુંવરપુરા )એ આપેલી ફરીયાદ અનુસાર તા.5 સપ્ટેમ્બર સાંજે સાતેક વાગે તેઓ રાજપીપળા મચ્છી માર્કેટમાં ખરીદી અર્થે ગયા હતા તે સમયે ત્યાં નિવેદન ઉર્ફે જીગર નટવરભાઈ તળપદા (૨) આકાશભાઈ નટવરભાઈ તળપદા તથા ત્રીજો અજાણ્યો શખ્સે  અગાઉ કેળા ભરવા બાબતે થયેલી બોલાચાલી ની રીશ રાખી નિરંજન ભાઈ  સાથે ઝધડો કરી ગાળો બોલી છરો લઇ ફેટ પકડી છરો મારવા જતા નિરંજન ભાઈએ છરો પકડી લાકડીઓની ઝાપોટો મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:23 pm IST)