Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રાજપીપળા માછીવાડના યુવાનને સાપ કરડી જતા સારવાર દરમિયાન વડોદરા ખાતે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માછીવાડમાં રહેતા એક યુવાનને સાપે ડંખ મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહીતી મુજબ માછીવાડ માં રહેતા ઇશાનભાઇ શૈલેષભાઇ માછી( ઉ.વ.૨૧ ) ને તા.૦૪/૦૯/૨૦૨૧ ના રાતે 8.00 વાગ્યાના આસપાસ એક સાપ કરડી જતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તા.૦૭/૦૯/૨૦૨૧ દરમ્યાન ૦૩/૩૦ વાગે તેનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:26 pm IST)