Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગ હરકતમાં : ૧૭૦ પીએસઆઈ સહિત ૪૨૦૦ પોલીસ કોન્સ્ટેબલ કરાશે તૈનાત

કોર્પોરેશને શહેરમાં 57 કુંડ તૈયાર કર્યાં ;વિસર્જન માટે રિવરફ્રન્ટની બંને તરફ પણ કૃત્રિમ કુંડ બનાવાયા

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે, ગણેશ વિસર્જનને લઈને 15 ડીસીપી, 20 એસપી, 65 પીએસઆઈ સહિત 11 એસઆરપીની ટૂકડીઓ તૈનાત કરવામાં આવશે.

વિસર્જન માટે અમદાવાદ કોર્પોરેશને શહેરમાં 57 કુંડ તૈયાર કર્યાં છે.વિસર્જન માટે રિવરફ્રન્ટની બંને તરફ પણ કૃત્રિમ કુંડ બનાવાયા છે, રિવફ્રન્ટ પર ગણેશ કુંડ પાસે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

વિસર્જનને લઈને શહેરમાં શોભાયાત્રા પણ નિકળશે.જેથી સંવેદનશીલ વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી છે.અને શોભાયાત્રાની વીડિયોગ્રાફી પણ થશે,,આ સિવાય વિસર્જન કુંડ પર ફાયર બ્રિગેડની ટીમ પણ રાખવામાં આવી છે.

(12:42 am IST)