Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

અમદાવાદમાં પાટીદારોની બેઠકઃ વધુમાં વધુ ટીકીટની માંગણી

પાટીદારોએ ભાજપ, કોંગ્રેસ, આપનું નાક દબાવ્‍યું: સરદારધામ અને ખોડલધામનાં હોદેદારો ગેરહાજર : આ બેઠક ચુંટણીલક્ષી ન હતીઃ અનામત મુદ્દે સુપ્રિમ અને સરકારનો આભાર માનવા રાખી'તીઃ સી.કે.પટેલ, જેરામભાઇ પટેલ

તસ્‍વીરમાં અમદાવાદ ખાતે વર્લ્‍ડ પાટીદાર ફેડરેશનની મીટીંગમાં ઉપસ્‍થિતિ આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ખત્રી-અમદાવાદ)
(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૮ :.. અમદાવાદ ખાતે આજે વર્લ્‍ડ પાટીદાર ફેડરેશનની મિટીંગ યોજાઇ હતી. જો કે આ મિટીંગમાં સરદારધામ અને ખોડલધામના હોદેદારો ગેરહાજર રહ્યા હતાં.
આ મિટીંગમાં સી. કે. પટેલ અને જેરામભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. તેઓએ જણાવ્‍યું હતું કે, આ બેઠક ચૂંટણી લક્ષી નથી. માત્ર અનામત મુદ્‌્‌ે સુપ્રિમ કોર્ટ અને કેન્‍દ્ર સરકારના આભાર માનવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં પાટીદાર આગેવાનોએ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વધુને વધુ પાટીદારોને ટિકીટ આપે તે માટે માંગણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં સરદારધામ અને ખોડલધામના આગેવાનો ગેરહાજર રહ્યા હતાં.ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજિક આગેવાનો પોત પોતાના સમાજની માંગોને લઈ સક્રિય થઈ ગયા છે. સરકાર સમક્ષ પ્રેશર પોલિટીક્‍સની રમત રમાઈ રહી  હતી. તો આ તરફ ગુજરાતમાં ૧૪% વોટબેન્‍ક ધરાવતા પાટીદાર સમાજની સંસ્‍થાઓની મહાબેઠક મળી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્‍થાઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતુેં.
થોડાસમય અગાઉ અમદાવાદમાં વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્‍ય સંસ્‍થાઓના પ્રમુખોની બેઠક યોજાઇ હતી. પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્‍ટીઓની બંધબારણે યોજાયેલી બેઠકમાં પાટીદાર સમાજના રીત રિવાજ, હાલ પ્રશ્નો તેમજ અનામત કેસ પરત અને પીએસઆઇની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્‍યાય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

(3:24 pm IST)