Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મંત્રીમંડળની બેઠકમાં શ્રધ્ધાંજલી- ઠરાવ

માધવસિંહજીના સન્માનમાં એક દિવસનો શોકઃ વિજયભાઈએ તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ના  દુઃખદ અવસાન અંગે   ઘેરા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેઓએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં  એક દિવસ નો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર  સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે.

 વિજય ભાઈ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે  બપોરે ૧૨ કલાકે રાજ્ય મંત્રી મંડળ ની બેઠક ગાંધીનગરમાં મળનાર બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકી ને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

(11:47 am IST)