Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અમદાવાદમાં જીએસટી વિભાગે સિરામિકમાં ચોરીના કેસમાં 4લોકોની ધરપકડ કરી

અમદાવાદ:સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 22 કરોડ 49 લાખની કરચોરી સદર્ભે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી સિરામિકમાં જીએસટી ચોરીના કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિલ વગર સિરામિકનો માલ ગુજરાત બહાર મોકલવામાં આવતો હતો

મહત્વનું છે કે, મોરબી સિરામિકનું હબ કહેવાય છે. જ્યાં કરોડો રૂપિયાના વ્યવહારો પણ થતા હોય છે. જેને લઈને તંત્રની  તાકતી નજર રહેતી હોય છે. રૂપિયા 39 કરોડ 89 લાખનો માલ મોકલી રૂપિયા 7 કરોડ 18 લાખની કરચોરી કરી હોવાની માહિતી સામે આવી છે. તો અમદાવાદમાં પાન-મસાલાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

(5:08 pm IST)