Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજ્યમાં કોરોના કરમાઈ ગયો :વધુ 353 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 234 પોઝિટિવ કેસ નોંધાયા:આજે વધુ એક દર્દીનું મોત : કુલ મૃત્યુઆંક 4379 થયો : કુલ 2,57,473 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે રાજ્યના 9 જિલ્લામાં એકપણ કેસ નહીં : આજે વધુ 56,332 લોકોને રસી અપાઈ : કુલ 6,60,516 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 70 કેસ, અમદાવાદમાં 44 કેસ, સુરતમાં 36 કેસ, રાજકોટમાં 34 કેસ,ગાંધીનગરમાં 8 કેસ, આણંદમાં 7 કેસ, જૂનાગઢ અને નર્મદામાં 4 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 2040 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 234 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 353 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 234 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 353 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,57,473 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી વધુ 1 દર્દીનું મોત થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક  4379 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,56 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 974 કેન્દ્રો ઉપર 56,332 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 6, 60,516 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

   આજે રાજ્યના 9 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી, રાજ્યમાં હાલ 2040 એક્ટિવ કેસ છે. જેમાંથી  24 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 2016 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યમાં આજે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે આજે અમદાવાદ કોર્પોરેશનમાં  એક દર્દીનું મોત થયું છે  

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 234 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરામાં 70 કેસ, અમદાવાદમાં 44 કેસ, સુરતમાં 36 કેસ, રાજકોટમાં 34 કેસ,ગાંધીનગરમાં 8 કેસ, આણંદમાં 7 કેસ, જૂનાગઢ અને નર્મદામાં 4 કેસ નોંધાયા છે

(7:27 pm IST)