Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં થાય : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જાહેરાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા ૯, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીયા જણાવ્યું છે કે ખાતર ના ભાવ વધારવામા અને તેને ઉપલબ્ધતા અંગે દેશના ઊભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મિટિંગ બોલાવાઈ હતી.

      જેમાં ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને ખાતરના ભાવમાં કોઈ વધારો  ન કરવા નિર્દેશ આપ્યા છે તેની સાથે ખાતર ઉત્પાદક કંપનીઓ સહમત થતાં હવે ખેડૂતોને જૂના ભાવે  ખાતર મળશે.

 

(4:10 pm IST)