Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગુજરાતી રંગભૂમિના કલાકાર અને ટેલિવિઝન દિગ્દર્શક સુનીલ સૂચકનું અવસાન

અમદાવાદ,તા. ૯: ગુજરાતી રંગભૂમિના કલાકાર અને અનેક ગુજરાતી ટેલિવિઝન સીરિયલના દિગ્દર્શક સુનીલ સૂચકનું  અવસાન થયું છે. ૪૬ વર્ષની ઉંમરે તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમદાવાદ ખાતે હૃદય રોગના હુમલાને કારણે સુનીલ સૂચકનું દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાન પર ગુજરાતી ઈન્ડસ્ટ્રીના કલાકારો દુઃખ વ્યકત કરી રહ્યાં છે. 

સંજય ગોરડિયાએ તેમના અવસાન પર શોક વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'સવારના ૭ . સવારથી એને હાથમાં દુખાવો હતો.  શૂટ પૂરું કરી બીજા સ્થળે શૂટ કરવા માટે નીકળ્યા ત્યારે અચાનક સુનીલના મોઢામાંથી ફીણ નીકળ્યું અને એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા એ પહેલા જ તેમણે દેહ છોડી દીધો હતો.'

સુનીલ સૂચકના પાર્થિવ દેહને લઈ એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યો છે.

(11:04 am IST)