Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રવિવારે શંકરસિંહના પૌત્રનો પરિણય સત્‍કાર સમારંભઃ વડાપ્રધાનને નિમંત્રણ

ગાંધીનગર રાજભવનમાં નરેન્‍દ્રભાઇ અને બાપુ વચ્‍ચે મુલાકાત

ગાંધીનગર,તા. ૪ : પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને મળવા ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા ગાંધીનગર રાજભવન ખાતે પ્રધાનમંત્રીશ્રી મોદી અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઇ હતી. કહેવાય છે કે આ મુલાકાત કોઇ રાજકીય ન હતી પરંતુ શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નના સત્‍કાર સમારોહનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપવામાં આવ્‍યું હતું. શંકરસિંહ વાઘેલા પોતાના પૌત્રના લગ્નનું આમંત્રણ પીએમ મોદીને આપવા રાજભવન આવ્‍યા હતા. ૧૨ માર્ચના રોજ ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્‍કાર સમારોહ છે.

ચિ. નિલરાજસિંહજીના શુભલગ્ન ચિ. શિખા સાથે નિર્ધારેલ છે. પરિણય સત્‍કાર સમારંભ તા. ૧૨ રવિવારે સાંજે ૭ વાગ્‍યે ગાંધીનગર સર્કીટ હાઉસમાં રાખેલ છે.

(4:42 pm IST)