Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

તિલકવાડાના પહાડ ગામના પુલ પાસે અજાણ્યા હત્યારાએ આધેડની હત્યા કરતા ચકચાર : હત્યાનો ગુનો દાખલ

મરનારે પહેરેલ સોનાની ચેઇન, સોનાની વીંટી તેમજ મોબાઇલ પણ ઘટના સ્થળે મળી ન આવતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પહાડ ગામના પુલ પાસે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તેંમના પુત્રએ આ બાબતે ફરીયાદ આપી છે

  પ્રાપ્ત માહિતી અનુસાર રાજેશભાઇ શનાભાઇ બારીયા (રહે.માંગુ,તા. તિલકવાડા) ની ફરીયાદ મુજબ તેમના પિતા શનાભાઇ નાનુભાઇ બારીયા (ઉ.વ. ૭૦ )નાઓ તા.૦૮ જુલાઈની સાંજે 6 થી રાત્રે 10  વાગ્યા દરમ્યાન કોઇએ પિતાને માથામાં મારી ગંભીર ઇજાઓ કરી તેમનું મોત નિપજાવી મરનારે પહેરેલ સોનાની ચેઇન, સોનાની વીંટી તેમજ મોબાઇલ તથા તેમની ડાયરી ગાયબ હોય, માંગુ ગામની સીમમાંથી પહાડ ગામના પુલ પાસે કોઈ પણ જગ્યાએ તેમનું મોત નિપજાવી તેમનો મૃતદેહ પહાડ ગામના પુલ પાસે મળતા પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:37 pm IST)