Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

નર્મદા જિલ્લામાં સોમવારે ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક ૧૩૫૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે જેમાં આજે સોમવારે ૦૭ કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળાની ચંદ્રવિલા સોસા.માં૦૧,નાંદોદ તાલુકાના જીતનગરમાં-૦૧,પ્રતાપ પરા-૦૧, હજરપરામાં-૦૨ તિલકવાડામાં-૦૧ અને દાજીપૂરામાં-૦૧ મળી નર્મદા જિલ્લામાં માત્ર ૦૭ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૫૧ દર્દી દાખલ છે.આજરોજ ૨૨ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૨૮૯ દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૩૫૫ એ પહોચ્યો છે. આજે વધુ ૩૩૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:54 pm IST)