Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ઉમરેઠ શહેરના ત્રણ વડવાળા ફળિયામાં નજીવી બાબતે ઠપકો આપવાની વાતે બે પરિવારો બાખડ્યા:સામસામે હુમલામાં 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઉમરેઠ: શહેરના ત્રણ વડવાળા ફળિયામા ગઈકાલે સવારના સુમારે ઠપકા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં થયેલી મારામારીમાં છને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજુભાઈ રાવળે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પત્ની પાર્વતીબેને બાજુમાં જ રહેતા આઝાદભાઈ શંકરભાઈ સાવરણીવાળાને બોલાચાલી નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખીને લાકડાંનો ડંડો લઈ આવીને મારી દીધો હતો. પાર્થકુમાર અને રિધ્ધીબેન વચ્ચે પડતાં તેમને પણ લાકડાંના ડંડાથી તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:19 pm IST)