Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1048 કેસ નોંધાયા : વધુ 879 દર્દીઓ સ્વસ્થ થયા:કુલ કેસનો આંક 1,82,719 થયો :કુલ 1,66,468 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 5 લોકોના મોત : મૃત્યુઆંક 3773 થયો

સૌથી વધુ સુરતમાં 183 કેસ,અમદાવાદમાં 178 કેસ, વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 128 કેસ,મહેસાણામાં 53 કેસ ગાંધીનગરમાં 51 કેસ, જામનગરમાં 44 કેસ, અમરેલીમાં 20 કેસ,સુરેન્દ્રનગરમાં 18 કેસ અને મોરબીમાં 15 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 12,478 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા બે દિવસથી  અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 879 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1048 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3773 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,478 એક્ટિવ કેસ છે, જ્યારે 1,66,468 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,409 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,82,719 સુધી  પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 5 લોકોના મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1048 કેસમાં સૌથી વધુ સુરતમાં 183 કેસ,અમદાવાદમાં 178 કેસ, વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 128 કેસ,મહેસાણામાં 53 કેસ ગાંધીનગરમાં 51 કેસ, જામનગરમાં 44 કેસ, અમરેલીમાં 20 કેસ,સુરેન્દ્રનગરમાં 18 કેસ અને મોરબીમાં 15 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 52,960 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 65,72,903 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,11 ટકા થયો છે

(7:28 pm IST)