Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમદાવાદ મનપાના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ : નીરવ બક્ષીની ઉપનેતા તરીકે વરણી

મુખ્ય દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણ, જ્યારે વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિયુક્તિ કરવામાં આવી છે.જ્યારે મુખ્ય દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે.  બીજી તરફ કેટલાક કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગીનો સૂર પણ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે  બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. જો કે, તેમ કહ્યું કે, રાજીનામાં જેવી કોઈ વાત નથી. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

(10:51 pm IST)