Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરતમાં ઉત્તરાયણને લઈને 14 અને 15મીએ ફ્લાય ઓવરબ્રિજ પર ટૂવ્હીલર માટે પ્રતિબંધ

ટુવ્હીલરમાં સેફ્ટી ગાર્ડ હશે તો પ્રતિબંધમાંથી મુક્તિ : ફ્લાઈઓવરબ્રિજની નીચેના રસ્તેથી અવરજવર કરી શકશે.

 

સુરત : ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસે ઉત્તરાણય તહેવારને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં શહેરમાં ફ્લાઈઓવર બ્રિજને લઈને પોલીસ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામા મુંજર 14 અને 15 જાન્યુઆરીએ શહેરના ફ્લાઈઓવર બ્રિજ પર ટૂવ્હીલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટુવ્હીલર ચાલકો ફ્લાઈઓવરબ્રિજની નીચેના રસ્તેથી અવરજવર કરી શકશે. મહત્વનું છે કે ઉત્તરયણમાં પતંગ પકડવા જતા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, તો માંજા વડે કપાઈ જવાની કે દોરી ગળામાં ફસાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે શહેર પોલીસ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ટુવ્હીલરમાં સેફ્ટી ગાર્ડ હશે તો જ પ્રતિબંધમાંથી મુક્તિ અપાશે તેવું જાહેરનામાં સ્પષ્ટ ઉલ્લખ કરાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના દિવસોમાં ચાઈનિઝ દોરીનું પણ ધૂમ વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે ચાઈનિઝ દોરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનિઝ દોરીના કારણે અનેક લોકોને નુકસાન થાય છે તેમજ દોરીના કારણે કપાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જો કે ચાઈનિઝ દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાણ પર્વ એ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે. ત્યારે આ પર્વ નિમિતે લોકો સાવચેત રહે તે હેતુંથી પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે

(11:36 pm IST)