Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

કરાંચીની જેલમાં ૪૦૦ જેટલા ભારતીયો માછીમારો કેદ : સરકાર તેમને પરત લાવે : શકિતસિંહ ગોહિલ

રાજ્યસભામાં માછીમારોનો પ્રશ્ન ઉઠાવતા સાંસદ

રાજકોટ,તા. ૧૧:  ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે રાજયસભામાં પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો. ગોહિલે કહ્યું કે, ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે સંકળાયેલી છે અને પાકિસ્તાની નેવી માછીમારોને ધરપકડ કરીને તેમની બોટ કબ્જામાં લઈ લે છે. જયારે માછીમારોને જેલમાં ધકેલી દે છે. આવા માછીમારોને મુકત કરાવવામાં આવે અને તેમની બોટ સાથે તેમને પરત લાવવામાં આવે.

શકિતસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પાકિસ્તાનના કરાંચીની મધ્યસ્થ જેલમાં ૪૦૦ ભારતીય માછીમારો કેદ છે. જયારે તેમની ૧,૧૦૦ બોટ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે. તેમણે સરકારને માછીમારોની મુકિત અને તેમની બોટ છોડાવવા માટે કંઈક પગલા લેવાનો આગ્રહ કર્યો.

કોંગ્રેસ સાંસદે વધુમાં જણાવ્યું કે, જયારે પાકિસ્તાની મરિસ સિકટોરિટી એજન્સી ભારતીય માછીમારોને ના પકડી શકે, તે માટે ભારતીય કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, વેસટ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમમાં થયેલા ગેરવહીવટ પર સરકાર ધ્યાન આપે અને ઘ્ખ્ઞ્દ્ગક્ન રિપોર્ટમાં જે ખુલાસા કરવામાં આવ્યા છે, તેને સરકાર ગંભીરતાથી લે.

રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાને ૨૦૨૦માં કેદીઓની યાદીની આપલે કરી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે, ૨૭૦ ભારતીય માછીમારો અને ૫૪ નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ છે. જેમાંથી ૧૦૦ જેટલા માછીમારોએ પોતાની સજા પૂરી કરી લીધી છે અને તેમની નાગરિકતાની પણ ખરાઈ થઈ ગઈ છે. પાકિસ્તાન દ્વારા માછલી પકડવા માટે ઉપયોગમાં લેવાતી બોટ જપ્ત કરી લેવામાં આવે છે અને માછીમારોની ધરપકડ કરવામાં આવેછે. આ બોટ જ માછીમારોની આજીવિકાનું એકમાત્ર સાધન હોય છે. ભારતીય માછીમારોની ૧,૦૦૦થી વધુ બોટ પાકિસ્તાને પોતાના કબ્જામાં રાખી છે.

પાકિસ્તાન અને ભારત એકબીજાની જળ સીમામાં માછલી પકડવા બદલ માછીમારોની ધરપકડ કરતા રહે છે. તાજેતરમાં પાકિસ્તાને ૨૫ ડિસેમ્બરે સદ્દભાવના સંકેત તરીકે ૨૨૦ ભારતીય માછીમારોને મુકત કર્યાં હતા.

(3:38 pm IST)