Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સુરતના પાંડેસરામાં જુદા જુદા બે વસ્તારોમાં બે શખ્સોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત: શહેરના પાંડેસરામાં વિવિધ વિસ્તારમાં બે વ્યક્તિએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. જેમાં આર્થિક તકલીફ પડતાં યુવાને ફાંસો ખાધો અને મહિલાએ ટેન્શનમાં ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ગોવાલક નગર પાસે કરસન નગરમાં રહેતો 25 વર્ષીય ગોપીનાથ ભગવાન પરીદા બુધવારે સવારે ઘરમાં સાત ના હુક સાથે દોરી બાંધી ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે ગોપીનાથ મૂળ પુરુષનો વતની હતો. તેને નાણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલું ભર્યું હતું તે સંચાખાતામાં નોકરી કરતો હતો.

બીજા બનાવમાં પાંડેસરામાં આવેલા સુખી નગરમાં રહેતા 31 વર્ષીય વિદ્યાબેન રાજેશભાઈ શાહુ બુધવારે રાત્રે ઘરમાં કોઈ કારણસર માનસિક તાણ અનુભવતા હોવાથી છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ બંને બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)