Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રામનવમી નિમિત્તે વિરમગામના મુનસર તળાવના કિનારા પર આવેલા રામજી મંદિરમાં ૧૦૦૧ થી વધુ દીપ પ્રાગટ્ય કરાયું

રામજી મંદિરમાં દીપ પ્રાગટ્યનું આયોજન વિરમગામના શિવ હોસ્પિટલના ડો. પ્રકાશ સારડા, ડો.નયના સારડા, પરીવારજનો દ્વારા કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : હિન્દુઓના આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાન ના જન્મદિવસ (રામનવમી )નિમિત્તે વિરમગામ ની  અતિ પ્રાચીન અને સાંસ્કૃતિક ધરોહર મુનસર તળાવ પર આવેલા અતિપ્રાચીન શ્રી રામચંદ્ર ભગવાન ના મંદિરમાં ૧૦૦૧થી વધુ દિપ પ્રાગટ્ય કરી ભગવાન શ્રીરામચંદ્રનો જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને દર્શનનો લાભ લીધો હતો. રામજી મંદિરમાં દીપ પ્રાગટ્ય નું આયોજન વિરમગામના શિવ હોસ્પિટલના ડો. પ્રકાશ સારડા, ડો.નયના સારડા, પરીવારજનો, મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:46 pm IST)