Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દહેજની એક કંપનીમાં ભયાનક આગઃ પાંચ કામદારો ભડથું

એક કામદાર ગુમ હોવાનું જાણવા મળતા તે અંગે તપાસ કરાઈ રહી છે

ભરૂચ, તા.૧૧: ભરૂચના દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે, આ અકસ્‍માતમાં બનેલી ઘટનામાં ૫ જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાસાયણીક પ્રક્રિયા દરમિયાન દહેજની એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના પાછળનું તટસ્‍થ કારણ જાણવા અંગે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે સેસ્‍ક્‍યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્‍યું છે. બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દ્યટના સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને તાત્‍કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી.
રિપોર્ટ્‍સ મુજબ દહેજમાં ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દ્યટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ કામદારોના મોત થઈ ગયા છે. મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ દ્યટનામાં હજુ એક કામદારની શોધખોળ કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળ પર પહોંચી હતી અને જરુરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્‍માત લગભગ રાત્રે ૨ વાગ્‍યાની આસપાસ બન્‍યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્‍લાન્‍ટમાંથી ભાગવામાં નિષ્‍ફળ રહ્યા હતા. આ દ્યટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્‍લાન્‍ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. દ્યટના બાદ તાત્‍કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્‍ક્‍યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ દ્યટના સ્‍થળ પરથી બહાર કાઢવામાં આવ્‍યા છે જોકે, હજુ એક કામદાર આ દ્યટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ બનાવની જાણ થતાં પોલીસની સાથે ઈન્‍ડસ્‍ટ્રીયલ હેલ્‍થ અને સેફ્‌ટીની ટીમ પણ ઘટના સ્‍થળ પર પહોંચી ગઈ હતી. આ અકસ્‍માત સર્જાવાનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યા છે. શું આ આગનું કારણ કંપનીની બેદરકારી છે કે પછી કોઈ અન્‍ય કારણ જવાબદાર છે તે અંગે તપાસ બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. મૃતક કામદારોના મૃતદેહોને વધારે તપાસ માટે પોસ્‍ટમોર્ટમ માટે મોકલવામાં આવશે

 

(2:33 pm IST)