Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રામનાથ કોવિંદ અને આચાર્ય દેવવ્રતજી શ્રી સોમનાથ મહાદેવના દર્શને

નવા સરકિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યા બાદ પ્રથમ જ્‍યોર્તિલિંગના દર્શન કર્યા : રાષ્‍ટ્રપતિ ત્રીજી વખત મુલાકાતે આવ્‍યા

(દિપક કક્કડ - દેવાભાઇ રાઠોડ - મિનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ - વેરાવળ તા. ૧૧ : શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આવ્‍યા હતા.

ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઇકાલે રાત્રે સોમનાથ આવ્‍યા હતા અને રાત્રી રોકાણ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાને જેનું વર્ચ્‍યુઅલ ઉદ્‌ઘાટન કર્યું છે તેવા સોમનાથ સમુદ્ર તટના નવા સરકારી અતિથિ ગૃહ (સરકીટ) હાઉસ ખાતે રોકાણ કર્યું હતું.

ભગવાન સોમનાથ મહાદેવના રાષ્‍ટ્રપતિ તેમજ ગુજરાતના રાજ્‍યપાલશ્રીએ દર્શન કર્યા હતા.

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ આ અગાઉ વર્ષ ૨૦૧૭-૧૮માં રાષ્‍ટ્રપતિ તરીકે સોમનાથ આવી ચુકેલા છે. આ તેમની ત્રીજી મુલાકાત છે.

રાષ્‍ટ્રપતિની વ્‍યવસ્‍થાઓ અંગે જિલ્લા વહીવટી તંત્ર - પોલિસ તંત્ર - સોમનાથ ટ્રસ્‍ટ અને બહારગામથી પોલીસ ટુકડીઓનું સોમનાથમાં આગમન થયું હતું.

(12:05 pm IST)