Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

નડિયાદ:સેવાલિયા નજીક વહેલી સવારે આઇસર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ : સેવાલીયા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આજે વહેલી સવારે એક આઇસર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મધ્યપ્રદેશના ટ્રકના ચાલકે આઇસર ચાલક વિરુદ્ધ સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મધ્યપ્રદેશના બૈજનાથના રહેવાસી જીવનલાલ ભંવરલાલ ચૌધરી ટ્રક લઇને આજે સવારે ગળતેશ્વર તાલુકાના સેવાલીયા નજીકના અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવતી એક આઇસરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઇ અને ગફલતભરી રીતે હંકારી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેને કારણે ટ્રક ચાલક જીવનલાલે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રોડની સાઇડે પલટી ખાઇ ગઇ હતી. જેને કારણે જીવનલાલ અને તેમની સાથેના ક્લીનર રોહીતસિંગ અર્જુનસિંહ રાજપૂતને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં જીવનલાલનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે રોહીતસિંગની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે મરણ જનાર જીવનલાલના નામે સેવાલીયા પોલીસ મથકે આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે .

(6:46 pm IST)