Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

નીલકંઠ સ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “ઉડાન- 2022” વાર્ષિક મહોત્સવ યોજાયો

શાળાના 820 થી વધારે બાળકોએ દેશભક્તિ, વિવિધતામાં એકતા,દેશની અખંડિતતા અર્થશાસ્ત્ર,પ્રાચીન અધ્યામિકતાના દર્શન,પર્યાવરણ, સ્ત્રી સશક્તિકરણ વગેરે મુદ્દાને આવરી ગૌરવપૂર્ણ વારસો, ભારતીગળ સંસ્કૃતિ અને શહીદોના બલિદાનોની ગાથાને નાટ્યરૂપે,નૃત્યરૂપે પ્રસ્તુત કરીને ભારતના ઈતિહાસને પડદા પર જીવંત કર્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ-કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં  આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે “હમ કરે રાષ્ટ્ર આરાધન” વિષય પર વાર્ષિક મહોત્સવ “ઉડાન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના 820 થી વધારે બાળકોએ દેશભક્તિ, વિવિધતામાં એકતા,દેશની અખંડિતતા અર્થશાસ્ત્ર,પ્રાચીન અધ્યામિકતાના દર્શન,પર્યાવરણ, સ્ત્રી સશક્તિકરણ વગેરે મુદ્દાને  આવરી ગૌરવપૂર્ણ વારસો, ભારતીગળ સંસ્કૃતિ અને શહીદોના બલિદાનોની ગાથાને નાટ્યરૂપે,નૃત્યરૂપે પ્રસ્તુત કરીને ભારતના ઈતિહાસને પડદા પર જીવંત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે પદ્મ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા (અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર),કુબેરભાઈ ડીંડોર(ઉચ્ચશિક્ષણ મંત્રી,ગુજરાત),ભુપેન્દ્રસિંહ ચુડાસમા(પૂર્વ શિક્ષણમંત્રી,ગુજરાત) તથા ઓજસભાઈ હિરાણી(અધ્યક્ષ, સંસ્કાર ભારતી),અધિક સચિવ  ભાવેશભાઈ એરડા,અજયસિંહ ચૌહાણ(પૂર્વ મહામાત્ર,સાહિત્ય અકાદમી),ડૉ.જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર,ગુજરાત સાહિત્ય અકાદમી) રાકેશભાઈ વ્યાસ(ડી.ઈ.ઓ.અમદાવાદ ગ્રામ્ય),હિતેન્દ્રસિંહ પઢેરીયા (ડી.ઈ.ઓ.અમદાવાદ શહેર)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
'હમ કરે રાષ્ટ્ર આરાધન' વિષય પર યોજયેલ આ કાર્યક્રમમાં બાળકોએ સૌને મંત્રમુગ્ધ કાર્ય હતા.વાર્ષિક મહોત્સવને અલગ જ રીતે ઉજવવા સમગ્ર મહોત્સવની સ્ક્રીપ્ટ ડૉ.જયેન્દ્રસિંહ જાદવે લખી હતી. વિશેષમાં આ મહોત્સવ પ્રસંગે સાણંદ નાગરના ઈતિહાસને આલેખતું ગીતની રચના ડૉ. જયેન્દ્રસિંહ જાદવે કરી હતી.જે ગીતને કમ્પોઝ કરી બાળકોએ નૃત્ય દ્વારા પ્રસ્તુત કર્યું હતું.શાળા દર વર્ષે આપતા “વિદ્યા ગુરૂ સન્માન” માં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રવિણભાઈ પટેલ ઝાંપ પ્રાથમિક શાળા,સાણંદ અને શ્રેષ્ઠ આચાર્ય તરીકે નિલેષભાઈ આદ્રોજા સરી પ્રાથમિક શાળા,સાણંદ પુરસ્કાર મંચસ્ત મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. વ્યક્તિ વિશેષ પુરસ્કારમાં નવનિયુક્ત પ્રાંત યુવા અધિકારી ડૉ.રાજનભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીના એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું નૃત્ય નિદર્શન પનઘટ કલા કેન્દ્ર ભાવિનભાઈ પટેલે કર્યું હતું.નાટ્ય નિર્દેશન પ્રસિદ્ધ નાટ્યવિદ્દ અર્ચનભાઈ ત્રિવેદીએ કર્યું હતું.પ્રધાનઆચાર્ય ડૉ.મનિષભાઈ દેત્રોજા અને પ્રમુખ  સાગરસિંહ વાઘેલાએ સૌ- વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ હરદ્વારભાઈ ગોસ્વામીએ સુંદર રીતે કર્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:52 pm IST)