Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડતાલ ખાતે રામ નવમીના શુભ દિને રૂપિયા દોઢસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર દિવ્ય અને ભવ્ય મ્યુઝિયમ – અક્ષરભુવન નો શિલાન્યાસ વિધિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ટ સંતો ના વરદ હસ્તે થયો સંપન્ન

ગ્વિવિધ ધામ માંથી પધારેલ 108 સંતો તથા 108 હરિભક્તોએ શિલાઓ નું પૂજન કર્યું : દિવ્ય દર્શનનો હજારો સંતો તથા હરિભક્તો એ લાભ લઇ ધન્યતા અનુભવી

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે રામ નવમીના શુભ દિને રૂપિયા દોઢસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર દિવ્ય અને ભવ્ય મ્યુઝિયમ – અક્ષરભુવન નો શિલાન્યાસ વિધિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ટ સંતો ના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિવિધ ધામ માંથી પધારેલ 108 સંતો તથા 108 હરિભક્તોએ શિલાઓ નું પૂજન કર્યું હતું આ દિવ્ય દર્શનનો હજારો સંતો તથા હરિભક્તો એ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિએ જ્યાં જ્યાં વિચરણ કર્યું હતું અને જે વસ્તુઓ નો ઉપયોગ કર્યો હતો તેવી પ્રસાદી ની વસ્તુઓ નંદ સંતો તથા હરિભક્તોએ પોતાની નવી પેઢી માટે સંગ્રહિત કરી હતી.

આ પ્રસાદીની વસ્તુઓ ના સર્વ હરિભક્તો દર્શન કરી શકે તે માટે આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મંદિર પરિસરમાં આવેલ અક્ષરભુવનનું ખાત મુહૂર્ત કર્યું હતું જ્યાં પ્રસાદીની ચીજ વસ્તુઓ મુકવામાં આવેલ છે.

આ પ્રસાદીની વસ્તુઓના સર્વ હરિભક્તો દર્શન કરી શકે તે માટે ગોમતી કિનારે રૂપિયા દોઢસો કરોડના ખર્ચે ગુલાબી પથ્થરમાંથી દિવ્ય અને ભવ્ય વર્લ્ડ ક્લાસ નૂતન અક્ષરભુવન ની ખાતમુહૂર્ત વિધિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો તથા હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી આચાર્ય મહારાજ તથા સંતો દ્વારા શિલાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહારાજશ્રી તથા સંતો દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધામ ધામ થી સંતો દ્વારા લાવવામાં આવેલી ઇટો તથા વિવિધ નદીઓના પવિત્ર જળથી શિલાઓ નું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા એ અક્ષરભુવન નો મહિમા વર્ણવ્યો હતો શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી એ પોતાની પરંપરા માં મળેલ ભગવાન શ્રી હરિ નું પ્રસાદીનું પીતાંબર નૂતન અક્ષરભુવન મા દર્શનાર્થીઓના માટે આચાર્યશ્રી ને અર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સંપ્રદાયના વડીલ સંતો એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું પૂજ્ય લાલજી સૌરભપ્રસાદજી એ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં તૈયાર થનાર નૂતન અક્ષરભુવન વિશ્વનું નજરાણા રૂપ મ્યુઝિયમ બનશે જેમાં ભગવાન શ્રી હરિની પ્રસાદીની વસ્તુઓ 2000 વર્ષ સુધી આપણી આગામી પેઢીઓ દર્શન કરી ધન્યતા અનુભવશે.

આ પ્રસંગે આચાર્ય મહારાજે આશીર્વચન પાઠવતા જણાવેલું કે ભગવાનનો મહિમા સમજાય તો ક્યારે અભાવ આવે નહિ સંતો એ સંપ્રદાયનું ચાલક બળ છે ભગવાન શ્રીહરિ કહેતા કે જે મનુષ્ય અહંકાર કરે તે ક્યારેય ગમતું નથી જે હરિભક્તોએ આ નૂતન અક્ષરભુવન ના નિર્માણમાં નાની મોટી સેવા કરી છે તેનું શ્રી હરિ મંગળ વિસ્તારે તેવા આશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા નાર ગુરુકુળના શ્રી હરીકૃષ્ણ સ્વામી. અને પ્રિયદર્શન સ્વામી પીજ વાળાએ સંભાળ્યું હતું.

(10:26 pm IST)