Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ત્રીજી લહેર નહિં આવે તેવી પોસ્ટ કોઈ નઠારા તત્વોએ તેજસભાઈના નામે વાયરલ કરી દીધી -એ પોસ્ટ મારી નથીઃ ડો.તેજસભાઈ પટેલ

આ ફેક પોસ્ટ છે, આવું કોઈ સ્ટેટમેન્ટ મેં આપ્યુ નથી : આવી પોસ્ટ વાયરલ ન કરવા અપીલ

રાજકોટ : દેશના નામાંકિત હાર્ટ સર્જન ડો. તેજસભાઈ પટેલના નામે કોઈ નઠારા તત્વોએ થર્ડ વેવ નહિં આવે તેવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. જેને ડો.તેજસભાઈએ નકારી કાઢેલ છે અને આવી ખોટી પોસ્ટ કરનાર ઈડરનો રહેવાસી હોવાનું અને તે ઓળખાય ગયાનું જાણવા મળે છે.

આ ફેઈક વિડીયો અંગે વિખ્યાત હાર્ટ સર્જન ડો. તેજસભાઈ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવેલ કે છેલ્લા થોડાક દિવસથી મારા નામે એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ છે કે કોરોનાની બીજી લહેર તરત પૂરી થઈ જવાની છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની જ નથી. આ એક ફેઈક (ખોટી) પોસ્ટ છે. આવુ કોઈ સ્ટેટમેન્ટ મેં આપ્યુ જ નથી અને કોઈએ મજાક કરી હોય એવુ લાગે છે. આ પોસ્ટને હું સદંતર રદીયો આપુ છું અને ખાસ એવી વિનંતી કરૂ છું કે, આ પ્રકારની કોઈપણ પોસ્ટ મારા નામે આવી રીતે પ્રજાજનોની મજાક થાય એથી કોઈએ મૂકવી નહિં.

(3:53 pm IST)