Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વડોદરામાં લેખક મનીષ જોષી ‘મૌન'ના પુસ્‍તક ‘કાયાકલ્‍પના શિલ્‍પી'નું વિમોચન

વડોદરા, તા.૧૨: તાજેતરમાં વડોદરામાં લેખક - પત્રકાર  મનીષ જોષી ‘મૌન'ના પુસ્‍તક ‘કાયાકલ્‍પના શિલ્‍પી'નું  વિમોચન કરવામાં આવ્‍યું હતું.

નવોદિત લેખકોની સાહિત્‍ય સંસ્‍થા ‘શબ્‍દાંકન'ના સ્‍થાપક - સંચાલક, લેખક - પત્રકાર મનીષ જોષી ‘મૌન' લિખિત નવી ભોજન પ્રથાના પ્રણેતા શ્રી બી.વી.ચૌહાણ - પૂજ્‍ય ગુરુજીની જીવન કથા ‘કાયાકલ્‍પના શિલ્‍પી'નું વિમોચન પૂ. ગુરૂજી, રેકી હિલિંગ ફાઉન્‍ડેશનના પ્રણેતા અને વિશ્વ વિખ્‍યાત નિસર્ગોપચારક  એન. કે. શર્માના હસ્‍તે દેશ - વિદેશથી આવેલા નવી ભોજન પ્રથાના પ્રચારકોની ઉપસ્‍થિતિમાં વડોદરામાં કરવામાં આવ્‍યું હતું.

(3:59 pm IST)