Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે થયેલ સાસુવહુના ઝઘડામાં વહુએ સાસુને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના નવરંગપુરામાં નજીવી બાબતના ઝઘડામાં વહુએ સાસુના વાળ પકડીને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત પાણીની બોટલ મકાનમાંથી નીચે ફેંકવા અંગે પુછતા તેણે પતિને લાફા મારીને બિભત્સ ગાળો બોલી હતી. અંગે પતિએ પત્ની વિરૂધ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ નવરંગપુરામાં અષ્ટકૃપા  ખાતે રહેતા સ્વપ્નીલ દોષીએ માતાપિતાની સંમતી વગર મહેસાણા ખાતે રહેતા મિનલબહેન બચુભાઈ શાહ સાથે લગ્ન કર્યા હતા. અગાઉના પતિ સાથે મિનલબહેને છુટાછેડા લીધા હતા. લગ્ન બાદ તેઓ માતાપિતા સાથે હેતા હતા. શરૂઆતમાં મિનલબહેન સારી રીતે રહ્યા હતા.

બાદમાં નાની નાની વાતોમાં ઝઘડા કરતા હોવાથી કિર્તીભાઈએ દિકરાને 2016મા નવુ મકાન ખરીદી આપ્યું હતું. આથી સ્વપ્નીલ તેમના દિકરા અને પત્ની સાથે નવા મકાવનમાં રહેવા ગયા હતા. જોકે મિનલબહેનના સ્વભાવમાં સુધારો થયો હતો. તે દિકરા અને પતિને બે ત્રણ દિવસ સુધી જમવાનું પણ બનાવીને આપતી હતી.

આથી પિતા પુત્ર ફ્લેટના રહીશોના ઘરે જમતા હતા. અંગે સ્વપ્નીલભાઈના માતા પિતાને જાણ થતા તેઓ તેમના ઘરે આવ્યા હતા. બીજીતરફ સાસુ સસરાનું આવવાુ મિનલબહેનને ગમ્યું હતું. મિનલબહેન તેમના સાસુને નોકરાણી અનં ગંધાતી જેવા અપશબ્દો બોલીને ઝગડા કરતી હતી.

(5:18 pm IST)