Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખોડલધામ-કાગવડ ખાતે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનોની મીટીંગ

વિરપુર(જલારામ) : ખોડલધામ કાગવડ ખાતે આજે કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજના આગેવાનોની અગત્યની મીટીંગ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી છે. આજે સવારે સુરત, ઉંઝા, સિદસર સહિતના ક્ષેત્રોમાંથી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા અને સમાજના જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, ઉમિયા મંદિર-ઉંઝાના દિલીપભાઈ નેતાજી, સિદસર મંદિરના જેરામભાઈ વાંસજાળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈ પટેલે આગેવાનોનું સ્વાગત કર્યુ હતુ. તસ્વીરમાં મિટીંગમાં ઉપસ્થિત નરેશભાઈ પટેલ તથા આગેવાનો નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર-જલારામ)

(12:23 pm IST)