Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

મુખ્ય પ્રધાનની રેસમાંથી પ્રફુલ પટેલ બહાર : ગુજરાત નહિ આવે : દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરશે બેઠક

દિલ્હીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને મળશે ને રાજ્યની રાજકીય અને સામાજિક સ્થિતિ અંગે ચર્ચા કરશે.

અમદાવાદ : રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ નવા સીએમના નામની ચર્ચામાં રહેલા પ્રફુલ પટેલનું નામ પણ સીએમ પદની રેસમાંથી બહાર નીકળી ગયા છે. આ પૂર્વે ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સ્પષ્ટતા કરી હતી કે સીએમ પદની રેસમાં નથી જે સીએમ બનશે તેમની સાથે રહીને મિશન 182 માટે કામ કરીશું.

આ દરમ્યાન મળી રહેલા સમાચાર મુજબ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ પણ નવા ગુજરાતના  સીએમ પદની રેસમાંથી બહાર થયું છે. જેમાં તેવો ગુજરાત આવવાના બદલે દિલ્હીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ  શાહને દિલ્હીમાં મળશે ને રાજ્યની રાજકીય અને સામાજિક સ્થિતિ અંગે ચર્ચા કરશે.

જેમાં ગુજરાતના નીતિનભાઈ  પટેલ, મનસુખભાઈ  માંડવિયા, ગોરધન ઝડફિયા, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ સીએમની રેસમાં છે. આ સાથે જ બે નાયબ પ્રધાન બનાવવાની વિચારણા થઈ રહી છે. એક નાયબ પ્રધાન OBC સમાજમાંથી હોઇ શકે છે, જ્યારે બીજા નાયબ પ્રધાન આદિવાસી સમાજમાંથી હોઇ શકે છે. આમ જાતિગત સમીકરણો દ્વારા ભાજપ વિરુદ્ધના અસંતોષને શાંત કરવાનો પ્રયત્ન થશે.

(11:24 pm IST)