Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સીદસર ઉમિયાધામનાં ચેરમેન જયરામભાઈ પટેલે કહ્યું પીએમ મોદી અને કેંદ્રીય બોર્ડ અમારી માંગણી સ્વીકારી

સમાજને સ્વીકાર થાય તેવા ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાત ની શાસનની ધુરા સોંપી

રાજ્યનાં મુખ્યમંત્રી પાટીદાર સમાજમાં ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત બાદ સંતોષની લાગણી જોવા મળી રહી છે. પાટીદાર સમાજની બે મોટી સંસ્થા ઊંઝા અને ખોદલધામ તરફથી ભૂપેન્દ્ર પટેલને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત બાદ સીદસર ઉમિયાધામનાં ચેરમેન જયરામભાઈ પટેલે કહ્યું કે પીએમ મોદી અને ભાજપના કેંદ્રીય બોર્ડ અમારી માંગણી સ્વીકારી અને સમાજને સ્વીકાર થાય તેવા ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાત ની શાસનની ધુરા સોંપી છે

(8:27 pm IST)